નમસ્કાર મિત્રો, ગુજરાતી ભાષામાં (Baudh Dharm in Gujarati) બૌધ્ધ ધર્મ વિશેની માહિતી અને એ પણ પરીક્ષાલક્ષી ખુબજ ઓછી ઉપલબ્ધ થાય છે. જેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને આ મુદ્દામાંથી માહિતી મળી શકતી નથી. આપણે આ લેખમાં ખુબજ ઉપયોગી પરીક્ષાલક્ષી માહિતી મેળવીશુ.
Baudh Dharm in Gujarati
બૌધ્ધ ધર્મનો ઉદભવ ઇ.સ. ની 6ઠ્ઠી સદીમાં થયો હતો. બૌધ્ધ ધર્મના ઉદભવનું મુખ્ય કારણ બ્રાહ્મણોની વર્ણ વ્યવસ્થા હતી. બ્રાહ્મણોના વર્ચસ્વ વધતા ક્ષત્રિયોની પ્રતિક્રિયાના ભાગરૂપ બૌધ્ધ ધર્મનો ઉદય થયો હતો. જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મના સ્થાપક ભગવાન મહાવીર સ્વામી અને બુધ્ધ બંને ક્ષત્રિય હતા.
ભગવાન બુધ્ધનાં વિવિધ ચિહ્ન
- જન્મ – કમળ
- જ્ઞાન- બોધીવૃક્ષ
- ગૃહત્યાગ – ઘોડો
- મૃત્યુ- સ્તુપ
- નિર્વાણ-પદચિહ્ન
ગૌતમ બુધ્ધ અને મહત્વની બાબતો
- જન્મ- ઇ.સ. પુર્વ 563
- જન્મ સ્થળ- કપિલવસ્તુ, લિમ્બિની
- મુળનામ- સિધ્ધાર્થ
- માતા- મહાપ્રજાપતિ ગૌતમી (પહેલી માતા માહામાયા)
- પિતા- સુધ્ધોધન
- પુત્ર – રાહુલ
- ગૃહત્યાગ- 29 વર્ષ – જીવનમાં થયેલા અનુભવને આધારે
- સારથી – ચન્ના
- ઘોડો- કંથક
- અન્ય નામ- તથાગત, શાક્યમુનિ, સુગત
- તપસ્યા કરી તે સ્થળ – નિરંજના નદી, પીપળનું બોધી વૃક્ષ
- નિર્વાણ – 80 વર્ષ, ઇ.સ. 483 મલ્લ રાજ્ય કુશિનારા
- પ્રથમ શિષ્ય – પ્રજાપતિ ગૌતમી
બૌધ્ધ ધર્મની અવધારણા
- દુ:ખ
- દુ:ખનું કારણ – તૃષ્ણા
- દુ:ખ સમાપ્તિ
- બૌધ્ધ માર્ગ – અષ્ટાઅંગ માર્ગ
અષ્ટાંગ માર્ગ
- સમ્યક દ્રષ્ટિ – વસ્તુઓને તેની વાસ્તવિક સ્વરૂપમાં જોવી
- સમ્યક વાણી – સત્ય બોલવું
- સમ્યક સંકલ્પ – ભૌતિક સુખો પ્રત્યે આકર્ષણનો ત્યાગ
- સમ્યક વ્યાયામ – નૈતિક માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રયાસ કરવો
- સમ્યક કર્મ – હંમેશા સત્કર્મ કરતાં રહેવું
- સમ્યક આજીવ – સદાચાર પુર્વક આજિવિકા પ્રાપ્ત કરવી
- સમ્યક સ્મૃતિ – મિથ્યા ધારણાઓનો ત્યાગ કરી કામની વસ્તુઓને યાદ રાખવી
- સમ્યક સમાધિ – ચિત અને મનની એકાગ્રતા.
બૌધ્ધ ધર્મ 10 શીલ
- સત્ય
- અહિંસા
- અસ્તેય
- અપરિગ્રહ
- બ્રહ્મચર્ય
- અસમય ભોજન ન કરવુ
- કોમળ પથારીનો ત્યાગ
- વ્યભિચાર ન કરવો
- મધપાન અને વ્યસન ન કરવું
- આભુષણોનો ત્યાગ
બૌધ્ધ ધર્મના ત્રિરત્ન
- બુધ્ધ
- સંઘ
- ધમ્મ
- બુધ્ધ દર્શન – ક્ષણિકવાદી અને કર્મવાદી
- અનિશ્વરવાદી દર્શન તથા પુનર્જન્મમાં વિશ્વાસ
- માનવનું નિર્માણ પાંચ સ્કંદોમાં થયેલ છે. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન
બૌદ્ધ ધર્મના ત્રણ પિટક
વિનય પિટક
- લઘુતમ પિટક કહેવાય છે.
- ઉપાલી દ્વારા સંકલિત કરવામાં આવેલ હતો.
- બુધ્ધના આચાર, વિચાર અને નિષેધનું સંકલન છે.
સુત્ત પિટક
- બૃહદ પિટક કહેવામાં આવે છે.
- આનંદ દ્વારા સંકલિત કરવામાં આવેલ છે.
- બૌધ્ધ ધર્મનો ઉપદેશ છે.
- સંવાદો છે.
અભિધમ્મ પિટક
- લઘુતમ પિટક કહેવાય છે.
- ઉપાલી દ્વારા સંકલિત કરવામાં આવેલ હતો.
- બુધ્ધના આચાર, વિચાર અને નિષેધનું સંકલન છે.
બૌધ્ધ સભાઓ
સભા | સ્થળ | વર્ષ | અધ્યક્ષ | શાશક | કાર્ય |
---|
પ્રથમ | રાજગૃહ | ઇ.સ. પુ. 483 | મહાકશ્યપ | અજાતશત્રુ | સુત પિટક અને વિનય પિટક નું સંકલન |
દ્વિતીય | વૈશાલી | ઇ.સ. પુ. 383 | સર્વકામી | કાલાશોક (નાગવંશ) | થારવાદી અને મહાસંધિક એમ બે ફાટા પડ્યા |
તૃતીય | પાટલીપુત્ર | ઇ.સ. પૂ. 251 | મોગલીપુતીસ | અશોક (મૌર્યવંશ) | અભિધમ્મ પિટકનું સંકલન |
ચતુર્થ | કાશ્મીર | ઇ.સ. 102 | વસુમિત્ર અશ્વઘોષ | કનિષ્ક | મહાયાન અને હીનયાન બે ભાગ પડ્યા |
બૌધ્ધ ધર્મના ફિરકાઓ
હિનયાન
- અર્થ- ઓછું
- બુધ્ધના મુળ ઉપદેશને માને છે.
- રૂઢિવાદી વિચારધારા
- વ્યક્તિગત મોક્ષમાં વિશ્વાસ
- અંતિમ લક્ષ્ય- નિર્વાણ
- ઉપસંપ્રદાય: થેરાવાદ
- સમ્રાટ અશોક દ્વારા સંરક્ષણ આપવામાં આવ્યું.
મહાયાન
- અર્થ – દીર્ધ
- બૌદ્ધિક સત્વ- બુધ્ધના પ્રતિક સમાન
- ઉદારવાદી વિચારધારા
- ભગવાન બુધ્ધની મુર્તિની પુજામાં વિશ્વાસ
- ગ્રંથ – કમળસુત્ર, મહાવંશ
- કમળ સુત્ર પ્રમાણે મહાન વ્યક્તિ દ્વારા 6 પરિપૂર્ણતામાં વિશ્વાસ
વજ્રયાન
- તાંત્રિક બૌધ ધર્મ
- વિકાસ – શાહી દરબાર દ્વારા બૌધ્ધ ધર્મ અને શૈવવાદ બંનેને સંરક્ષણ આપવાના પરિણામે
- મુખ્ય દેવ – તારા
- વેદ – ઉપાસક
- દર્શન – મહાયન
- પ્રખ્યાત સ્થળ – તિબ્બત, ભુટાન અને મંગોલિયા
- અનુયાયી- વિશ્વના 5.7 ટકા
થેરાવાદ
- વયસ્ક ભિક્ષુકોને સમર્પિત
- આ સંપ્રદાય પાલી સિધ્ધાંતોને સમર્પિત
- બુધ્ધના મૂળ સિધ્ધાંતોને સમર્પિત
- વિશ્લેષણની શિક્ષણ
- પવિત્ર ભાષા – પાલી
- પ્રમુખ ગ્રંથ – વિશુધ્ધિ મગ્ગ
- રચનાકાર – બુધ્ધ ઘોષ
- પ્રખ્યાત સ્થળ – શ્રીલંકા, કંબોડિયા, લાઓસ, થાયલેંડ, મ્યાનમાર
નવયાન બૌધ્ધ ધર્મ
- થેરાવાદ, મહાયન અને વજ્રયાનની પારંભિક પ્રથાથી ભિન્ન
- બૌધ્ધ ભિક્ષુકોની મઠ વ્યવસ્થા, કર્મ, મૃત્યુ, પુનર્જન્મ, સંસાર, ધ્યાન, પ્રબુધ્ધતા જેવા સત્યને નકારનાર
- વર્ગ સંઘર્ષ અને સામાજિક સમાનતા પર ભાર
- 14 ઓક્ટોબર 1956 નાગપુર ખાતે પાંચ બૌધ્ધ સાધુ અને પાંચ લાખ અનુયાયીઓ સાથે બૌધ્ધ ધર્મને ડો. બાબા સાહેબ આંબેડકરે અંગીકાર કર્યો
બૌધ્ધિક સાહિત્ય
- દીપવંશ – ઇ. સ. પૂ 3જી સદીમાં રાજા ધાતુસેનના શાશનકાળમાં અનુરાધાપુર (શ્રીલંકા)માં લખાયેલ છે. દિપવંશનો શાબ્દિક અર્થ- દ્વીપનો ઇતિવૃત થાય છે. શ્રીલંકામાં બુધ્ધની યાત્રા તથા બુધ્ધના અવશેષો સંબંધિત ઉલ્લેખ છે.
- મિલિંદ પહ્નો – ગ્રીક રાજા મિલિંડર અને બૌધ્ધ ભિક્ષુક નાગસેન વચ્ચે થયેલ સંવાદ છે. શાબ્દિક અર્થ – મિલિન્દ ના પ્રશ્ન
- મહાવંશ – પાલી ભાષામાં લખાયેલ મહાકાવ્ય છે. ઇ. સ. 3 જી થી 4 થી સદીમાં રાજા વિજયના શાશનકાળમાં લખાયેલ પુસ્તક છે. દક્ષિણ એશિયામાં વિભિન્ન રાજ્ય વિશે છે.
- મહાવસ્તુ – બૌધ્ધ જાતકકથાઓ વિશે ચર્ચા છે.
બૌધ્ધ ધર્મની વિવિધ મુદ્રાઓ
મુદ્રા | મહત્વ |
---|
અભય મુદ્રા | શાંતિ, સુરક્ષા, દયા અને અભયનું પ્રતિક |
ભુમિસ્પર્શ મુદ્રા | જ્ઞાનપ્રાપ્તિનો સંકેત |
ધર્મચક્ર મુદ્રા | જીવનમાં મહત્વપૂર્ણ ક્ષણૉ ઉપર ધ્યાન કેંદ્રિત |
ધ્યાન મુદ્રા | બુધ્ધ સંગના નિયમ અને વિદ્યાનો તથા સમાધિનો સંકેત |
વરદ મુદ્રા | અભિલાષા, સચ્ચાઇ દયા અને પરોપકાર |
જ્ઞાન મુદ્રા | સ્પર્શથી ચક્રનું નિર્માણ અને હથેળીથી છાતીનાં સ્પર્શથી જ્ઞાન મુદ્રા |
કરના મુદ્રા | આશુરી શક્તિઓનો વિનાશ અને બાધા સમાપન |
ભગવાન બુદ્ધની શિષ્યા
- મહાપ્રજાપતિ ગૌતમી – બુદ્ધની પાલક માતા
- યશોધરા -પત્ની
- નંદા – મહા પ્રજાપતિ ગૌતમીની પુત્રી
- અમ્રપાલી વૈશાલીની નગર વધુ
- વિશાખા – અંગ જનપદના રાજાની પુત્રી
- ક્ષેમા- બિંબિસારની પત્ની
- મલ્લિકા – કૌશલ નરેશ પ્રસેનજીતની પત્ની
- સમાવતી – કૌસંબી નરેશ વત્સરાજ ઉદયનની પત્ની
ભગવાન બુદ્ધના શિષ્ય
- બિંબીસાર/અજાત શત્રુ – હર્યક વંશ
- પ્રસેનજીત – કૌશલનરેશ
- ઉદયન-કૌશમ્બી વત્સ
- પ્રદ્યોત અવંતી નરેશ
- અશોક & દશરથ- મૌર્યનરેશ
- કનિષ્ક- કુષાણવંશ
- હર્ષવર્ધન – વર્ધન સામ્રાજ્ય
- સહસી વંશ- સિંધ નરેશ
- ધર્મપાલ, નાગપાલ, દેવપાલ – વ્રજ્રયાન સંપ્રદાયમાં માનનાર પાલવંશ
બૌધ્ધ ધર્મના પતનના કારણો
- કર્મકાંડનો પ્રારંભ
- બૌધ્ધ ધર્મ ના ભિક્ષુકો સામાન્ય માનવના જનસમુદાયથી દુર રહેવાના કારણે
- પાલી ભાષાનો પ્રભાવ ઘટ્યો
- મુર્તિપૂજાનો આરંભ
- ભક્તો પાસેથી વધારે માત્રામાં દાન ઉઘરાવવું.
- બ્રાહ્મણ ધર્મનો ફરી ઉત્થાન
- બુધ્ધને બ્રાહ્મણોએ વિષ્ણુ ના અવતાર સાથે જોડવા
- બૌધ્ધ વિહારોની કુરિતી
- રાજ્યાશ્રયનો અભાવ
જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?
GPSC Exam Date 2024-25
GPSC Syllabus in Gujarati
GPSC Book List In Gujarati
બૌધ્ધ ધર્મ અને જૈન ધર્મ વચ્ચે સરખામણી
સામ્યતા
- બંને ધર્મનો ઉદય ઇ.સ. પુ. 6ઠ્ઠી સદીમાં થય હતો.
- ઉત્તર પુર્વ ભાગમાં ઉદય થયો (મગધ, છતીસગઢ, ઝારખંડ)
- અનૈશ્વરવાદી
- હિંદુ ધર્મના કર્મકાંડ અને આબંડરને આ ધર્મએ અપનાવ્યો નથી.
- વર્ણવ્યવસ્થાનો સ્વીકાર કે અસ્વીકાર નથી કર્યો
- અહિંસા પર ભાર
- નૈતિક આચરણ, સદાચાર, દયા પર ભાર
- ક્ષત્રિય-કુમાર- સમકાલીન રાજાઓ એ રાજ્યશ્રય આપ્યો
- બંને એ સાંસારિક જીવનનો ત્યાગ કર્યો, વિવાહિત જીવનનો ત્યાગ, સમ્યક જીવન
- બંને એ ઉપદેશ જનસાધારણ ભાષામાં આપ્યો, અર્ધમાગધી- જૈન તથા પાલી ભાષા- બૌધ્ધ
- બંને ધર્મ કર્મના સિધ્ધાંતનો સ્વીકાર
- વેદોનાં જ્ઞાનને નકાર્યું.
- ભ્રાહ્મણ ધર્મ, કર્મકાંડ, સામાજિક શ્રેષ્ઠતાનો વિરોધ
- પુનર્જન્મનાં સિધ્ધાંતનો સ્વીકાર
- સાદુ પવિત્ર જીવનને પ્રોત્સાહન
તફાવત
જૈન ધર્મ
- સ્થાનિક ભાષા – પ્રાકૃત
- ભારતમાં પ્રચાર વધારે
- અનુયાયી પર આધારિત ધર્મ
- સ્થાપના- મહાવીર સ્વામીના જન્મ પુર્વે
- કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિની વાત, કષ્ઠ આપવુ, કઠોર તપ, ઉપવાસ, સંલેખના
- અહિંસાનો નિયમ કઠોર
- સંદેશ- ત્રિરત્ન
બૌધ્ધ ધર્મ
- પાલી ભાષા
- વિદેશમાં પ્રચાર વધુ
- સંઘ અને ભિક્ષુકો પર આધારિત
- સ્થાપના- બુધ્ધના જન્મ પછી થયો
- સંબોધિની વાત
- કષ્ઠની વાત નથી- અષ્ઠાંગ વાત અપનાવવાની વાત છે.
- વ્યવહારિક અહિંસાની વાત
- અષ્ટાંગ માર્ગમાં વિશ્વાસ.
સમાપન
online exam examconnect
આપણે બૌધ્ધ ધર્મ વિશે મહત્વની બાબતો વિશે પરીક્ષાલક્ષી માહિતી મેળવી છે. જો આપને આ અંગે કોઇ પણ મુંઝવણ હોય તો કોમેંટ કરશો. ExamConnect આપના માટેજ આવીજ અવનવી માહિતી લઈને આવે છે. માટે અમારી સાથે જોડાયેલા રહેશો. આ બ્લોગ પર પરીક્ષાલક્ષી મોકટેસ્ટ પણ આપવામાં આવ્યા છે. જેના ઉપયોગથી આપ પરીક્ષાની તૈયારીને વધુ મજબુત બનાવી શકશો.