TET TAT Exam 2025

TET TAT Exam 2025 | ટેટ અને ટાટની પરીક્ષા ક્યારે આવશે?

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

TET TAT Exam 2025 માટે ઘણા વિદ્યાર્થીઓ આતુરથી રાહ જોતા હશે. ઘણા વિદ્યાર્થીઓએ તે માટે પરીક્ષાની તૈયારી પણ કરી દીધી

TET TAT Exam 2025 માટે ઘણા વિદ્યાર્થીઓ આતુરથી રાહ જોતા હશે. ઘણા વિદ્યાર્થીઓએ તે માટે પરીક્ષાની તૈયારી પણ કરી દીધી હશે. એવા સંજોગોમાં તેઓને આ પરીક્ષા ક્યારે આવશે તેવો પ્રશ્ન થવો સ્વભાવિક વાત છે.

આ પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુબજ સારા સમાચાર છે. પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો માટેની ટેટ અને ટાટ ની પરીક્ષા આગામી ડિસેમ્બર-2025 થી ફેબ્રુઆરી-2026 દરમિયાન યોજશે. તેવુ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન કરવાનું વિચારવામાં આવેલ છે.

હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા 10 વર્ષનું ભરતીનું કેલેંડર બહાર પાડવામાં આવેલ છે. તે મુજબ ખુબજ મોટા પાયે શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. જેમા પ્રાથમિક શિક્ષકોની સૌથી વધુ ભરતી કરવામાં આવશે. પરંતુ આ અંગે State Examination Board આ પરીક્ષા ક્યારે લેવાશે તે અંગેની કોઇ પણ ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ નથી. પરંતુ ભરતી કેલેંડરને જોતા કહી શકાય કે ટુંક સમયમાં ભરતી પરીક્ષાઓ જરૂર આવશે.

Read More : શિક્ષણ વિભાગનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર

પરીક્ષા લેનાર સંસ્થા રાજ્ય પરીક્ષા બોર્ડ
TET-1 Full Form Teacher Eligibility Test
નોકરીનું સ્થળ ગુજરાત રાજ્યમાં ધોરણ 1 થી 5 માં
પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ રૂ. 26000/- ત્યારબાદ સરકારના ધારાધોરણ મુજ્બ

TET TAT Exam 2025

ઉપર જણાવ્યુ તેમ ટેટ-1 ની પરીક્ષા જાહેરનામુ આવી ગયુ છે. જે આપ યોગ્ય લાયકાત ધારાવો છો તો તે તા. 12 નવેમ્બર 2025 સુધીમાં અરજી કરી શકશો.

Read Also : TET 1 પરીક્ષા 2025

મહત્વની લિંક્સ

ટેટ-1 પરીક્ષાનો અભ્યાસક્રમ 2025 અને પરીક્ષા પધ્ધતિ

ટેટ-2 પરીક્ષાનો અભ્યાસક્રમ 2025 અને પરીક્ષા પધ્ધતિ

ટેટ-1 જુના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો

ટેટ-1 ની પરીક્ષા માટે ઉત્તમ પુસ્તક

ટાટ સેકંડરી ના જુના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો.

ટાટ હાયર સેકંડરી ના જુના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો.

ગુજરાતમાં પીટીસી અને બી.એડ થયેલા ઉમેદવારો માટે શિક્ષકની ભરતી માટે દર વર્ષે પરીક્ષાનું આયોજન કરવું અને ભરતી કરવાનું ઠરાવવામાં આવેલ છે. તેથી જે વિદ્યાર્થીઓ શિક્ષક બનવા માંગે છે તેઓએ અત્યારથીજ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઇએ. જો ઉપર જણાવ્યા મુજબ જો પરીક્ષાનું આયોજન થાય તો આપના માટે ખુબજ ઓછો સમય રહી જાય છે. અત્યારથીજ પરીક્ષાના નવા અભ્યાસક્રમ મુજ્બની તૈયારી શરૂ કરી દેવી જોઇએ.

આ સિવાય જો આપને જો ખબજ ન હોય તો ખાસ જણાવવાનું કે હવે પછીની તમામ ભરતીઓ નવા અભ્યાસક્રમ મુજબની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો મુજબની રહેશે. જુના અભ્યાસક્રમમાં પાસ થયેલા ઉમેદવારોનું સર્ટિફિકેટ હવે માન્ય રહેશે નહી.

તેમજ હવે પછીની તમામ ભરતીમાં પરીક્ષામાં મેળવેલ ગુણના આધારેજ મેરિટ લિસ્ટ તૈયાર થશે. એટલે કે પીટીસી કે બી.એડ. માં મેળવેલ માર્ક્સ ગણવામાં આવશે નહી.

Scroll to Top