વ્હાલા વિદ્યાર્થી મિત્રો, દરેક સ્પાર્ધાત્મક પરીક્ષામાં Jain Dharm In Gujarati વિશે જાણવુ ખુબજ જરૂરી છે. વૈદિક કાળમાં જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મમાંથી પ્રશ્ન પુછવામાં આવે છે. ખુબજ ઊંડાણપૂર્વકની તૈયારી પણ ખુબ જરૂરી છે. તો ચાલો જૈન ધર્મ વિશે વિગતવાર માહિતી મેળવીએ.
મહાવીર સ્વામી । Mahavir Swami
- જન્મ -ઈસવીસન પૂર્વે 599/540 જ્ઞાત્રુક કુળમાં થયો હતો.
- જન્મ સ્થળ-કુંડગ્રામ
- મૂળ નામ -વર્ધમાન
- માતા -ત્રિશાલા દેવી
- પિતા-સિદ્ધાર્થ
- પુત્રી/પુત્ર- પ્રિયદર્શના – જામાલી (જમાઈ)
- તપસ્યા કરી તે સ્થળ – ઋજુપાલિકા નદી, સાલ વૃક્ષ જુંભીક ગામ
- નિર્વાણ – 72 વર્ષ પૂર્વ 527/568 72 વર્ષની ઉંમર મલ્લ રાજા શુસ્તપાલને ત્યા પાવાપુરી (બિહાર)
- પ્રથમ શિષ્ય -જામાલી, ચાંદના (ચંપા ના રાજા , દધીવાહનની પુત્રી હતી)
- પ્રથમ ઉપદેશ- રાજગૃહ ચપુલાંચલ પહાડનું વારાકર નદી ક્ષેત્ર
- મહાવીરના મૃત્યુ પછી જીવીત રહેનાર ગણધર-સુધર્મન
જૈન સંઘ અને સંપ્રદાય | Jain Dharm In Gujarati
- મહાવીર સ્વામીના મૃત્યુ પછી માત્ર એક ગણધર સુધર્મન જીવતો હતો.
- સુધર્મન મૃત્યુ પછી સંઘના અધ્યક્ષ બનનાર-જંબુસ્વામી
- ઇ. સ. 300 આસપાસ મગધમાં ભીષણ દુકાળ પડે છે.
- દુકાળ પડતા ભદ્રબાહુ શિષ્ય સાથે દક્ષિણમાં ઘર્મના પ્રચાર માટે પ્રયાણ કરે છે.
- સ્થુલીભદ્ર શિષ્ય સાથે ઉત્તરમા જઈ ત્યા સ્થાયી થાય છે.
શ્વેતાબંર (તેરા પંથી)
- મોક્ષપ્રાપ્તિ માટે વસ્ત્ર ત્યાગવુ અનિવાર્ય નથી
- સ્ત્રીઓ નિર્વાણની અધિકારી.
- કૈવલ્ય પ્રાપ્તિ પછી ભોજન આવશ્યક
- મહાવીર સ્વામી વિવાહિત હતા.
- 19 માં તીર્થકાર સ્ત્રી હતા. – મલ્લીનાથ
- જૈન આગમગ્રંથોઅનો સ્વીકાર
- ઇદ્ર દ્વારા ભુણ પરિવર્તનની કથામાં વિશ્વાસ
- તપસ્વીઓ પોતાની સાથે 14 પ્રકારની વસ્તુઓ રાખે છે.
દિગંબર (સામૈયા)
- મોક્ષ પ્રાપ્તિ માટે વસ્ત્ર ત્યાગવુ અનિવાર્ય
- સ્ત્રીઓ માટે નિર્વાણ અસંભવ
- કૈવલ્ય પ્રાપ્તિ પછી ભોજન આવશ્યક નથી.
- વિવાહિત નથી.
- 19માં તીર્થકર પુરુષ હતા. મલ્લીનાથ
- જૈન આગમ ગ્રંથનો અસ્વીકાર.
- મહાવીર સ્વામીના ભ્રુણ પરિવર્તનની કથામાં અવિશ્વાસ
- તપસ્વીઓ પોતાની સાથે રજોહરણ અને કમંડળ રાખે છે.
ત્રિરત્ન
1. સમ્યક જ્ઞાન – સતમાં વિશ્વાસ
2. સમ્યક દર્શન – શંકા વિહીન વાસ્તવિક જ્ઞાન
3. સમ્યક આચરણ – ઇંદ્રિયો તથા કર્મ પર નિયંત્રણ
ત્રિગુણવ્રત
1. દિગવ્રત – એકજ દિશામાં અમુક નક્કી કરેલા અંતર સુધીજ ચાલવુ.
2. ઉપભોગવ્રત- ઉપભોગમાં મર્યાદા રાખવી
3. અનર્થદંડવ્રત- અનર્થ થાય તેવા કાર્યો ન કરવા.
ચારવ્રત
1. સમવિક અનતે પ્રતિક્રમણ – મનની સમતા અશુભ કે પાપમાંથી મુક્તિ માટે પ્રાયશ્ચિત દ્વારા પાછુ ફરવુ.
2. દેવાવાકાશી- અમુક પદાર્થ/આહાર/પ્રદેશ અમુક સમય સુધી ન છોડવો.
3. પૌષધ- ચંદ્ર માસની આઠમે તથા ચૌદશે વ્રત કરવુ.
4. અતિથિ સંવિભાગ- મહેમાનોનું સ્વાગત કરી તેમનુ માન વધે તેવી આશન આપવુ.
પાંચ તીર્થ
1. શેત્રુજંય
2. ગિરનાર
3. પાવાપુરી
4. ચંપાપુરી
5. સમેત શિખર
જૈન ઘર્મમાં સિધ્ધાંત
1. પાંચ મહાવ્રત- સત્ય, અહિંસા, અસ્તેય(ચોરી ન કરવી), અપરિગ્ર્હ(સંગ્રહ ન કરવો), બ્રહ્મચાર્ય
2. અનિશ્વરવાદી- ઇશ્વરની વ્યાખ્યામાં માનતા નથી. અસ્તિત્વનો અસ્વીકાર
3. સૃષ્ટિ અને સંસાર સાશ્વત છે.- સ્વરૂપ છે.
4. આત્માના પુન:જન્મના સિધ્ધાંત – કર્મનાં બંધનોમાંથી મુક્ત ન થઈએ ત્યાં સુધી જન્મ લેવો.
5. અનેકાંતવાદ- વાસ્તવિક વિવિધ પ્રકૃતિનો સિધ્ધાંત
6. સ્યાદવાદ/સ્પતભંગીનય- સાપેક્ષતાનો સિધ્ધાંત
7. નપાવાદ- આંશિક દ્રષ્ટિકોણનો સિધ્ધાંત
8. ત્રિ-રત્ન- સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર
9. આશ્રવ- જીવ સાંસારિક કાર પ્રત્યે આકર્ષિત
10. સંવર – જીવ સંસારિક કાર્ય પ્રત્યે વિરક્ત
11. નિર્જરા- સંચિત કર્મને જીવથી દુર કરવુ.
12. સંલેખના- ઉપવાસ દ્વારા પ્રાણ ત્યાગ કરવો.
Indian History In Gujarati (ભારતનો ઇતિહાસ)
Read Also
જૈન સંઘ
- મહાવીર સ્વામીના પહેલાથી જ જૈન સંઘનું નિર્માણ થઈ ચુક્યુ હતુ.
- સ્ત્રી અને પુરુષનાં સંગ અલગ હતા.
- પાર્શ્વનાથના સમયે સ્ત્રી સંઘનાં અધ્યક્ષ પુષ્ય ચુલા હતા.
- જૈન સંઘનું અન્ય નામ -બસદી
જૈન સંઘની પ્રમુખ વિશેષતા.
- અહિંસા પર વિશેષ બળ
- કૃષિ તથા યુધ્ધમાં ભાગ લેવા પર ઇંકાર
- પુનર્જન્મ તથા કર્મવાદમાં વિશ્વાસ
- બુધ્ધ ધર્મની જેમ વર્ણવ્યવસ્થાની નિંદા કરી નથી.
- સંસારની વાસ્તવિકતાનો સ્વીકાર તથા સૃષ્ટિનાં કરતા હરતાં તરીકે ઇશ્વરનો સ્વીકાર.
- દેવતાનાં અસ્તિત્વનો સ્વીકાર પરંતુ તીર્થકરોને બાદમા6 સ્થાન આપ્યુ.
જૈન ધર્મના પ્રચારક
- સમકાલીન- બિંબિસાર, પ્રચંડજયોત, અજાતશત્રુ, ઉદયન, દધિવાહન, ચેટક વગેરે.
- નંદવંશ- મહાપદમાનંદ તથા ધનાનંદ
- મૌર્યવંશ- ચંદ્રગુપ્ત મૌર્ય અને સંપ્રતિ
- કલિંગના રાજા ખારવેલ- હાથી ગુફાનો અભિલેખ અને ઉદયગિરી ની ટેકરીઓ જૈન સાધુને દાનમાં આપી હતી.
- પૂર્વમધ્યકાળમાં રાષ્ટ્રકુત (અમોઘ વર્ષ) ગંગ, ચાલુક્ય અને ચંદેલ રાજાઓ જૈન ધર્મને રાજ્યાશ્રય
- ગંગવંશના રાજા રજમલ-4 નાં મંત્રી તથા સેનાપતિ ચામુંડારાયએ ઇ.સ. 974 માં ગોમટેશ્વરમાં કર્ણાટક ખાતે શ્રવણબેલગોડામાં ભાતેશ્વર બાહુબલીની મુર્તિ બનાડાવવી (પ્રત્યેક 12 વર્ષે અહી મહાભિષેકનું આયોજન થાય છે.
જૈન સભા/સંગીની
સભા | સ્થળ | અધ્યક્ષ | વર્ષ | રાજા | કાર્ય |
પ્રથમ | પાટલીપુત્ર | ઇ.સ. 298 | સ્થુલીભદ્ર | ચંદ્રગુપ્ત | 12 અંગોનું સંકલન |
દ્વિતીય | વલ્લભી (ગુજરાત) | ઇ.સ. 512 | દેવાધિ ક્ષમા શ્રવણ | ધૃવસેન | 11 અંગોને લીપી બધ્ધ કરવમાં આવ્યા અને સ્થાનિક ભાષામાં લખવામાં આવ્યા . |
જૈન સાહિત્ય
- જૈન ગ્રંથ અંગેના સમુહને આગમ કહેવાય છે.
- આગમના અન્ય નામ – ગણ પિટક છે.
- આગમ સાહિત્ય
- 12 અંગ- આમાનું દ્રષ્ટિવાદ હાલમાં ઉપલબ્ધ નથી. બાકીના 11 આચરાંગ ગુરુ શિષ્ય પરપરા દ્વારા જળવાયા છે. જેમા મહાન યતિ અને તેના શિષ્યો વચ્ચેના વાર્તાલાપની માહિતી મળે છે.
- 12 ઉપાંગો- અંગોના પુરક ગ્રંથો, જૈન ધર્મનાં સિધ્ધાંત, વાર્તાઓ, દંતકથાઓ તથા ખગોળ અને ભુગોળ વિશેની ચર્ચા કરવામાં આવી છે.
- 6 પ્રકીર્ણ- પદ્યમાં લખાયેલ છે.
- 6 વેદસુત્રો- જૈન યતિઓના સદવર્તન અંગેના નિતિનિયયમોનું અને નિતિનિયમોનાં ભંગબદલ શિક્ષાનું વર્ણન છે.
- 4 મૂળસુત્રો- જૈન ધર્મને લગતી વાર્તા અને ધર્મનાં સિધ્ધાંતોનું વર્ણન
- 2 સુત્રો- મહાન વ્યક્તિઓ દ્વારા લખાયેલ કાવ્ય, વ્યાકરણ, ધર્મ જેવા વિષયોની ચર્ચા.
વ્યક્તિ | સાહિત્ય |
ભદ્રબાહુ (ઇ.સ. પુર્વે 3 સદી) | ઉપાસગધર્મ, સ્ત્રોત, કલ્પસુત્ર (જૈન તીર્થકરની આત્મકથા) |
આચાર્યકુંડકુંદ | સમયસાર, નિયમસાર |
તિરૂક્તતેવર | જીવક ચિંતામણી(તમિલ સાહિત્યનું મહાકાવ્ય) |
જિનસેન (8-9 સદી) | મહાપુરાણ, હરિવંશપુરાણ, (જિનસેન વીરસેનનાં શિષ્ય હતાં) |
હેમચંદ્રચાર્ય | સંસ્કૃત, પાકૃત વ્યાકરણ (જૈન ધર્મના વ્યાકરણ) |
જિનસેન સુરી | આદિપુરાણ (રાષ્ટ્રકૂટ વંશના સમકાલીન – અમોધવર્ષના દરબારમાં હતાં) |
પ્રમુખ જૈન તીર્થ સ્થળો
- અયોધ્યા- જૈન પરંપરા અનુસાર 5 તીર્થકરોનો જન્મ અહીં થયો હતો. જેમા પ્રમુખ નામ ‘આદિનાથ/ઋષભદેવ’ છે.
- શ્રવસ્તી (યુપી) – ત્રીજા તીર્થકાર સંભવનાથની જન્મભુમિ છે. તેને ‘સહેત મહેત’ ના નામે પણ ઓળખવામાં આવે છે.
- કૌશાંબી – અલહાબાદ અને કાનપુર વચ્ચે આવેલ છે. 6ઠ્ઠા તીર્થકર પહ્મપ્રભુનું જન્મ સ્થાન છે.
- હસ્તિનાપુર – કુરૂવંશની રાજધાની શાંતિ, કુંથુ તથા અરનામનાં તીર્થકરના જન્મ સ્થળ છે.
- સમેત શિખર – ઝારખંડ નાં હજારીબાગ જિલ્લામાં સ્થિત તથા 20 જેટલા તીર્થકરોનું નિર્વાણ સ્થાન.
- પાવાપુરી(બિહાર) – ભગવાન મહાવીરનું નિર્વાણ સ્થાન
- રાજગૃહ – ચાપલુંચલ પર્વત પર મહાવીર સ્વામીનો પ્રથમ ઉપદેશ
- ગીરનાર- નેમિનાથની તપોભુમિ તથા નિર્વાણ સ્થાન
- શ્રવણબેલગોડા- કર્ણાટકમાં ભરતેશ્વર બાહુબલીની મહાકાય મૂર્તિ.
- માઉંટ આબુ – જૈન સ્થાપત્ય (વાઘેલા વંશ- દેલવાડાના દેરા, કુંભારિયાના દેરા બનવવામાં આવ્યા હતાં)
- કેસરીયાનાથ – આદિનાથની મેવાડમાં મૂર્તિ તેની પુજા કેસરથી કરવામાં આવે છે.
સંથારા પ્રથા શું છે?
- રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા સંથારા ઉપર 10 ઓગષ્ટ 2015 ના રોજ રોક લગાવવામાં આવી હતી.
- સજા IPC 360 અંતર્ગત કાર્યવાહી
- અન્ય નામ – સંલેખના (ઉપવાસ દ્વારા પ્રાણત્યાગ)
- આ પ્રથાના હિમાયતી ચંદ્રગુપ્ત મૌર્ય, મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે.
જૈન ધર્મ અંતર્ગત કેટલીક પ્રમુખ શબ્દાવલીઓ.
- મતિ- ઇંદ્ર જનિત જ્ઞાન
- અવધિ- દિવ્ય જ્ઞાન
- શ્રુતિ-શ્રવણ જ્ઞાન
- બસદિ- કર્ણાટકનાં જૈન મઠ
- સાપ્ત- વિશ્વાસ યોગ્ય પુરુષોનું વાક્ય
- સાજ- ભોજનાલય
- અષ્ટમંગલ- 8 શુભ ચિહ્ન
- સમોહા- જૈન વિહાર
- મન: પર્યાય – અન્ય વ્યક્તિના મન અને મસ્તિસ્કની વાત જાણી લેવી
- સ્થાનક- જૈન ભિક્ષુકોનું વર્ષાવસાન નિવાસસ્થાન
- નિસીધી-જૈન સાધુઓનું મૃત્યુ સંબંધી કર્મકાંડ તથા પધ્ધતિ.
online exam examconnect
મિત્રો, આશા રાખુ છું આ લેખ આપને ગમ્યો હશે. આપની તૈયારી વધુ મજબુત બને એવા અમારા પ્રયત્ન છે. આપ આપની તૈયારીને વધુ મજબુત બનાવવા માટે અમારી ફ્રી મોકટેસ્ટ ની મુલાકાત લઈ શકો છો. ધન્યવાદ